નિકોલમાં જુદા જુદા 5 રસ્તાઓ બિસમાર ધૂળ ઊડતા રહીશોના આરોગ્ય સામે જોખમ

નિકોલ વોર્ડમાં આવેલા જુદા જુદા 5 રસ્તાઓ છેલ્લા ઘણાં સમયથી બિસ્માર હાલતમાં છે. ખોદકામ કર્યાને 6 મહિના જેટલો સમય વિતી ગયો પરંતુ ડામર નાંખવાના બદલે માત્ર સુકી રેતી નાંખીને કામ પૂર્ણ કરી દેવાયુ છે. એટલે બિસ્માર રસ્તાના લીધે લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. સતત ઉડતી ધૂળના લીધે લોકો શ્વાસની બિમારીનો ભોગ બની રહ્યા છે.

ત્યારે વહેલી તકે આ જુદા જુદા 5 રસ્તાઓનું સમારકામ કરવા મ્યુનિ.ની ઝોનલ ઓફિસમાં રજૂઆત કરાઈ છે.

આ અંગે નિકોલના અગ્રણી અનિષ હિરપરાએ મ્યુનિની ઝોનલ કચેરીમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, વોર્ડમાં નિકોલ ગામથી કેનાલ રોડ. નિકોલ ગામથી રિંગરોડ, ખોડિયાર મંદિરથી ભોજલધામ આશ્રમ, મહાત્મા ગાંધી રોડથી રિંગરોડ અને નિકોલ ફાયર સ્ટેશનથી શ્રીનાથ પાર્ટી પ્લોટ સુધીના પાંચે રોડ પર 6 મહિના પહેલા ખોદકામ કર્યું હતુ. ત્યારબાદ તેનું યોગ્ય સમારકામ કરાયું નહીં. ઉપરાંત રોડ પર સમારકામના નામે રેતી નાંખી દિધી છે. એટલે રોડની આસપાસ રહેતા નાગરિકો અને દુકાનદારોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડે છે. સતત ઉડતી ધૂળના લીધે લોકોને શ્વાસ લેવામા તકલીફ પડી રહી છે. તેમાં પણ સિનિયર સિટીઝન અને બાળકોને ફેંફસાની બિમારીના ભોગ બની રહ્યા છે. બિસ્માર રસ્તાના કારણે અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે.

  • Related Posts

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    દાણીલીમડાના સુએજ ફાર્મ ખાતે મીલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા મજુરને વિજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. નારોલના ગોકુલનગર વિભાગ-બી ખાતે રહેતા ચંદન રાજેન્દ્ર પાંડે (ઉ.32) દાણીલીમડા સુએજ ફાર્મ ખાતેની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    રામોલનું ખાનવાડી તળાવ ઓવરફલો થઈ જતાં આસપાસમાં ગંદા પાણી ભરાતા લોકો ત્રાહિમામ્

    રામોલનું ખાનવાડી તળાવ ઓવરફલો થઈ જતાં આસપાસમાં ગંદા પાણી ભરાતા લોકો ત્રાહિમામ્