રૂપિયા ચૂકવ્યા છતાં રૂ.20 લાખ માંગી વ્યાજખોરોની યુવકને મારવાની ધમકી

ગોમતીપુરના યુવકની 3 વ્યાજખોરો સામે ફરિયાદ, 2ની ધરપકૂડ

વ્યાજખોરો સામે કડક ઝુંબેશ ચલાવવા છતાં શહેરમાં વ્યાજખોરોનો ગેરકાયદે નાણાં ધીરવાનો ધંધો બિન્દાસ્ત ચાલી રહ્યો છે. ત્યારે ગોમતીપુરમાં જુગારની લતે ચડેલો યુવક મોટી રકમ હારી ગયો હતો. એટલે જુગારમાં હારેલી રકમ ચુકવવા માટે તેણે 3 વ્યાજખોરો પાસેથી ટુકડે ટુકડે 18 ટકા લેખે રૂ.60 લાખ વ્યાજે લીધા હતા. જો કે યુવકે જુગાર રમીને તમામ વ્યાજખોરોને મુડી અને વ્યાજની રકમ ચુકવી દીધી હતી. તેમ છતાં ત્રણેય વ્યાજખોરોએ વધુ વ્યાજની લાલચમાં પેનલ્ટીના નામે રૂ.20 લાખની માંગણી કરી હતી. ઉપરાંત પેનલ્ટીની રકમ નહીં આપે તો તેન જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. એટલે કંટાળેલા યુવકે ત્રણેય વ્યાજખોર સામે ગોમતીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે બે વ્યાજખોરની ધરપકડ કરી લીધી છે.

ગોમતીપુરમાં પત્ની અને બાળકો સાથે રહેતા મોહમદ નવાબ શેખ (ઉ.30) નામનો યુવક જુગાર રમીને પૈસાદાર બનવાના મોટા મોટા સપના જોતો હતો. દરમિયાન યુવક જુગારમાં રૂપિયા 60 લાખ હારી ગયો હતો. એટલે બાપુનગરના શ્યામ શિખર પાસે આવેલા ત્રણ વ્યક્તિ પાસેથી યુવકે વર્ષ 2023-24 દરમિયાન 18% રૂ.60 લાખ વ્યાજે લીધા હતા. નવાઈની વાત એ છે કે, વ્યાજે લીધેલા તમામ નાણા યુવકે જુગાર રમીને વ્યાજ સહીત ચૂકવી દીધા હતા. તેમ છતાં વ્યાજખોરો વધુ વ્યાજની લાલચમાં આવીને પેનલ્ટી પેટે રૂ.20 લાખ માંગતા હતા. પરંતુ યુવકે 1 ઈનકાર કરતા ત્રણેય વ્યાજખોરોએ યુવકના બે મકાન તથા રખિયાલમાં તેના પિતાની દુકાનના દસ્તાવેજ પણ કબજે લઇ લીધા હતા.

ત્યારબાદ યુવક જુગારમાં રૂપિયા હારતો જ રહ્યો હતો એટલે વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયેલો યુવક પરેશાન હતો. આખરે યુવકે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગોમતીપુર પોલીસે વ્યાજખોર રાજેન્દ્ર ઉર્ફે કેપ્ટન રાઠોડ, કીર્તન ઉર્ફે ગોલુ ભેસાનીયા, નીખીલભાઈ ઉર્ફે બચ્ચન શાહ સામે વ્યાજખોરીનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.

  • Related Posts

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    દાણીલીમડાના સુએજ ફાર્મ ખાતે મીલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા મજુરને વિજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. નારોલના ગોકુલનગર વિભાગ-બી ખાતે રહેતા ચંદન રાજેન્દ્ર પાંડે (ઉ.32) દાણીલીમડા સુએજ ફાર્મ ખાતેની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    રામોલનું ખાનવાડી તળાવ ઓવરફલો થઈ જતાં આસપાસમાં ગંદા પાણી ભરાતા લોકો ત્રાહિમામ્

    રામોલનું ખાનવાડી તળાવ ઓવરફલો થઈ જતાં આસપાસમાં ગંદા પાણી ભરાતા લોકો ત્રાહિમામ્