બોગસ પાસપોર્ટ બનાવવા બદલ પિતા-પુત્ર સામે ફરિયાદ

લંડન જવાના પ્રયાસમાં યુવક પકડાયો હતો

વર્ષ 2024માં એરપોર્ટ પર લંડન જતી ફલાઈટના મુસાફરોના ચેકીંગમાં વિજય કાંગી (રહે વલસાડ) નામના મુસાફરનો પાસપોર્ટમાં શંકાના આધારે ઈમીગ્રેશન ઓફિસરે જન્મનું પ્રમાણપત્ર માંગતા તેમાં બોપલનુ સરનામુ હતુ. આ મામલે ઈમીગ્રેશન વિભાગે સ્પેશીયલ ઓપરેશન ગ્રુપમાં અરજી આપી હતી.

એસઓજીએ યુવકના દસ્તાવેજોની ખરાઈ કરતા યુવકનુ સાચુ નામ વિજય રાજશીભાઈ ખુંટી મહેર (ઉ.19) હોવાનું ખુલ્યુ હતુ. વિજયે તેના પિતાના નામનુ ખોટું સર્ટીફિકેટ કઢાવ્યુ હતુ અને તેના આધારે સુરતના એક એજન્ટ પાસે બોગસ દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવ્યો હતુ. પોલીસે પાસપોર્ટમાં વલસાડનુ એડ્રેસ હોઈ તપાસ કરતા ત્યાં આવી કોઈ સોસાયટી જ નહોવાનું ખુલ્યુ હતુ.આ રીતે પાસપોર્ટ મેળવી યુ કે ના વીઝા મેળવી વિજય એરપોર્ટ પહોચ્યો હતો પરંતુ પકડાઈ ગયો હતો. ઈમીગ્રેશન ઓફિસરે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં વિજય તેના પિતા રાજશીભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.

  • Related Posts

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી