અમરાઈવાડીમાં ચાર દિવસથી ગટર ઉભરાતા લોકો ત્રાહિમામ્

રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ આવતો જ નથી

શહેરના અમરાઈવાડી વોર્ડમાં ચોકસીની ચાલી પાસે પોસ્ટ ઓફિસ રોડ પર છેલ્લા ચાર દિવસથી ગટર ઉભરાતાં તેના ગંદા પાણી ભરાઈ રહે છે. જેના કારણે વિસ્તારના રહીશો હેરાન-પરેશાન થઈ ગયા છે. સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કામગીરી કરાતી ન હોવાથી સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, અમરાઈવાડીની ચોકસીની ચાલી પાસે અવારનવાર ગટર ઉભરાવાની સમસ્યા છે. પરંતુ તેના કાયમી ઉકેલ માટે કોઈ કામગીરી કરાતી નથી. જેના કારણે લોકો પરેસાન છે. તેવામાં ફરી એકવાર ચાલી પાસેની ગટર ઉભરાઈ રહી છે. ચાર દિવસથી ગંદા પાણી રોડ પર ફરી વળતાં તીવ્ર દૂર્ગંધ મારતા લોકોને અવરવજવર કરવામાં તકલીફ પડી રહી છે.

ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જતાં મચ્છરજન્ય રોગના કેસોમાં વધારો થવાની આશંકા સેવાઈ રહી છે. આ મામલે સ્થાનિકો દ્વારા મ્યુનિ કોર્પોરેશનમાં રજૂઆતો કરાઈ હતી, પરંતુ અધિકારીઓ દ્વારા કામગીરી થઈ જશે કહીને માત્ર હૈયાધારણા જ આપવામાં આવી હતી. પરંતુ સમસ્યાના કાયમી ઉકેલની દિશામાં કોઈ કામગીરી કરાતી જ નથી. જેના કારણે નાગરિકોને હેરાન થવું પડે છે.

  • Related Posts

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    દાણીલીમડાના સુએજ ફાર્મ ખાતે મીલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા મજુરને વિજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. નારોલના ગોકુલનગર વિભાગ-બી ખાતે રહેતા ચંદન રાજેન્દ્ર પાંડે (ઉ.32) દાણીલીમડા સુએજ ફાર્મ ખાતેની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    રામોલનું ખાનવાડી તળાવ ઓવરફલો થઈ જતાં આસપાસમાં ગંદા પાણી ભરાતા લોકો ત્રાહિમામ્

    રામોલનું ખાનવાડી તળાવ ઓવરફલો થઈ જતાં આસપાસમાં ગંદા પાણી ભરાતા લોકો ત્રાહિમામ્