સરદારનગરમાં યુવકની હત્યા કેસમાં ચાર ઝડપાયા

લાકડી અને ફેંટો મારી ઈજાગ્રસ્ત કર્યાની કબૂલાત

શહેરના સરદારનગરના સુત્તરના કારખાના પાસે એક શખ્સને માર મારતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ હત્યાના ગુનાના ચાર આરોપીને ક્રાઈમબ્રાંચે ઝડપી પાડી ગુનોનો ભેદ ઉકેલી દીધો છે.

સવા મહિના અગાઉ સરદારનગરમાં જગારામ સખારામ પાટીન નામના શખ્સના શંકાસ્પદ મૃત્યુ અંગે ક્રાઈમબ્રાંચે તપાસ હાથધરી હતી. જેમાં હ્યુમન ઈન્ટેલીજન્સ અને બાતમીના આધારે પોલીસે હસમુખ ઉર્ફે ભરત જગદીશ પહાડીયા (રહે. ઓઢવ), નાસીર હુસેન ઉર્ફે મામા અબ્દુલ હમીદ શેખ (રહે.રામોલ), દુર્ગેશ ઉર્ફે ગૌરવ સુરેશસિંગ કુશ્વાહ (રહે.નવા વાડજ) અને સુનિલ ઉર્ફે શિવા મેવાલાલ કોરી (રહે.કુબેરનગર)ને પકડી પાડયા હતા. કડક પુછપરછમાં કરતાં ચારેય આરોપીઓએ કબુલાત કરી હતી કે, સરદારનગરમાં નાસીરશેખની દુકાનની બાજુમાં જગરામ પાટીલને લાકડી અને ફેટો મારી ઈજાગ્રસ્ત કર્યો હતો. જો કે મારામારીના બનાવ બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. અંતે ચારેય આરોપીને સરદારનગર પોલીસને સોંપવા તજવીજ હાથધરાઈ છે. નોંધનીય છે યુવકની શંકાસ્પદ લાશ મળ્યા બાદ તપાસ કરતાં હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે.

  • Related Posts

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી