અમરાઈવાડીમાં ઝઘડામાં વચ્ચે પડતા યુવકને પેટમાં છરી હુલાવી

અંગત અદાવતમાં ફરી ઝઘડો થયો હતો

અમરાઈવાડીમા રહેતા જીતેન્દુકમાર નિશાંતના બે મિત્ર અરૂણ ચૌહાણ અને હરીશ સિંધવને વટવામાં ચાર માળીયામાં રહેતા ચંદન રાજુભાઈ પટેલ અને મહેન્દ્ર રાજુભાઈ પટેલ સાથે કોઈ છોકરી બાબતે ઝઘડો થયો હતો. ત્યારબાદ ત્રણેય મિત્રો હાટકેશ્વરપાસે ચાપીવા ઉભા રહ્યા હતા. તે સમયે વટવામાં ચંદન અને મહેન્દ્રે હાટકેશ્વર આવ્યા હતા. અગાઉના ઝઘડાની અદાવત રાખીને ફરીથી ઝઘડો કરીને અરૂણ અને હરીશને માર મારવા લાગ્યા હતા.

આ સમયે જીતેન્દ્ર વચ્ચે પડતા આરોપીઓએ તેને પણ માર માર્યો હતો. આટલુંજ નહિ મહેન્દ્રએ તેની પાસે રહેલું ચાકુ કાઢીને અરૂણને મારવા જતા તે ખસી જતા જીતેન્દ્રને પેટમાં ઘા વાગતા તે લોહિલુહાણ થઈ ગયો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા બંને શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા.આ અંગે જીતેન્દ્રે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે.

  • Related Posts

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી