જમાલપુર સ્મશાનમાં અંતિમવિધિના સ્થળ પાસે જ ગંદકીથી લોકોમાં રોષ

ડ્રેનેજ લાઈન બેક મારતી હોવાના લીધે ગંદાં પાણી ફરી વળ્યાં

જમાલપુર સ્થિત સપ્તઋષિ સ્મશાનને રિડેવલ કરવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન અંતિમવિધી માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે અંદર જ અલગથી જગ્યા ફાળવાઈ છે. પરંતુ ત્યાં જવાના રોડ પર અને ચિંતાના શેડ નજીક જ ડ્રેનેજ લાઈન બેક મારતી હોવાની સમસ્યા સર્જાય છે. જેના કારણેઆસપાસના ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે.સ્મશાનમાં એક પરિવારજનની અંતિમક્રિયામાં આવેલા એક નાગરિકે જણાવ્યું હતું કે, સ્મશાનના રિડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે, તે સારી બાબત છે.

પરંતુ હાલમાં અંતિમવિધી કરવા વૈકલ્પિક વ્યવસ્થા જે જગ્યાએ ફાળવી છે ત્યાં ગંદકીના ગંજ છે. ચીતા પાસેના રોડ પર જ ડ્રેનેજ ઉભરાતી હોવાથી તેનાગંદા પાણી ફરી વળે છે. એટલે તીવ્ર દૂર્ગંધના લીધે ત્યાં ઉભા રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. આસપાસમાં પણ ગંદકીના ગંજ હોવાના લીધે અંતિમવિધી પૂર્ણ થાય ત્યાં સુધી તો લોકો હેરાન પરેસાન થઈ ગયા હતા. એટલે રિડેવલપમેન્ટની કામગીરી ચાલે ત્યાં સુધી આ વૈકલ્પિક વ્યવસ્થા વાળા સ્મશાનની આસપાસ પણ સાફ સફાઈ માટેની કામગીરી કરે તેવી માગ.

  • Related Posts

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી