ઈજનેર સસપેન્ડ થયાં હવે સંપત્તિની તપાસ
એસીબી દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડ કાર્યપાલક ઇજનેર સહિત અન્ય ઇજનેરોસામે તપાસ માટે એમના ઘર ઓફિસ અને લોકરોની તપાસ માટે અદાલતમાંથી મંજૂરી માંગવામાં આવી છે.જે મળતાજ દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. અગાઉ આ મામલે બેદરકારી દાખવનાર કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા.જેમાં એન.એમ. નાયકાવાલા, હાલના નાયબ કાર્યપાલક ઇજનેર યુ.સી. પટેલ, પૂર્વ નાયબ કાર્યપાલક ઈજનેર આર.ટી. પટેલ અને મદદનીશ ઇજનેર જે.વી.શાહનો સમાવેશ થાય છે. અને ચાર ઇજનેરો સામે એસીબીએ તપાસ કરી નિવેદન નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
બાદમાં સરકારની મંજૂરી મળતાજ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી. સીટ દ્વારા સસ્પેન્ડેડ અધિકારીઓના વતન, ઘર, અને ઓફિસે દરોડા પાડવા માટેની કોર્ટમાં મંજુરી માંગી છે, જે મળતા જ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી અંગે ACB ના અધિકારીએ જણાવ્યું કે, પાંચ વિરૂદ્ધ સરકાર તરફથી સત્તાનો દુરઉપયોગ કર્યા બાબત, અને ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર અંગે મિલકતો વસાવી હોય તેની તપાસ માટે સરકાર તરફથી બે જુદા જુદા આદેશો આપવામાં આવ્યા હતા. આ મામલે સંયુક્ત નિયામકની અધ્યક્ષતામાં એસઆઇટીની રચના કરવામાં આવી છે.