કૃષ્ણનગરમાં વ્યાજખોરોના ત્રાસથી મહિલાએ આત્મહત્યા કરી લેતાં 3 વ્યાજખોરની ધરપકડ

મૃતકે સ્યુસાઈડ નોટમાં તમામ હકીકત લખી હતી જેના આધારે ગુનો દાખલ કરાયો

કૃષ્ણનગરમાં એક દંપતિ સહિત ત્રણ વ્યાજખોરે મહિલાને માનસિક ત્રાસ આપતા અંતે કંટાળીને મહિલાએ એસિડ ગટગટાવી લેતા તેનુ મોત નિપજયુ હતુ. દરમિયાન મહિલાના ઘરમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેના આધારે મહિલાના પતિએ ત્રણે સામે દુત્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં એક દંપતિ સહીત ત્રણ વ્યાજખોરોની ધરપકડ કરી હતી.

કૃષ્ણનગરમાં શિવ એપાર્ટમેન્ટમાં નિતાબેન મોદી પુત્ર રવિ સાથે રહે છે જયારે તેમના પતિ પ્રકાશભાઈ વીસનગર રહે છે અને ફોટોગ્રાફીનો વ્યવ્સાય કરે છે. ગત તા 27 મીએ પ્રકાશભાઈ પર તેમની સાળીનો ફોન આવ્યો હતો અને જાણ કરી હતી કે નિતાબેને એસીડ પી લીધુ છે. નિતાબેનને ફરજ પરના તબીબે મૃત જાહેર કરી દીધા હતા.

બીજીબાજુ પ્રકાશભાઈએ તેમની પુત્રી ભૂમિકાને પુછતા તેણે કહ્યું હતુ કે મમ્મીએ એસિડ પી લીધા બાદ તેમને હોસ્પિટલ લાવ્યા બાદ ઘરે તાળુ મારવા માટે ગઈ ત્યારે ઘરમાં એક ચોપડો પડયો હતો. જેમાં નિતાબેને લખ્યુ હતુ કે, મારા મરવા પાછળનું કારણે નેહા તથા તેનો ઘરવાળો જયેશ છે. તેમણે મને 50 હજાર આપેલ તે પૈસા ભરી દીધા હોવા છતા બીજા દસ હપ્તા માંગતા હતા. આ લોકો મને ખોટી રીતે તેઓ ટોર્ચર કરી ધમકી આપતા હતા. આ ઉપરાંત જીગર રબારી પાસેથી પણ દસ ટકા વ્યાજે ઉછીના પૈસા લીધા હતા.

તે પૈસા ચુકવી દીધા હોવા છતા તેઓ વધુ પૈસાની માગણી કરી ધમકી આપતા. હતા અને તારા છોકરાને ઉઠાવી જઈશ. તથા તને ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી. ધમકી આપતા હતા. મે હેમરાજ ઝાલાને 45 હજાર રૂપિયા આપ્યા હતા અને રવિના નામે મોબાઇલ ફોન અપાવેલ છે તથા એક હજારની ડાયરી કરાવેલ છે તે તમામ પૈસા લેવાના બાકી છે તે પૈસા માંગવા. જતા હેમરાજે મને મારી નાંખવાની ધમકી. આપી હતી. આ લોકોના ત્રાસથી હું અંતિમ પગલુ ભરી રહી છુ. આ સ્યુસાઈડ નોટ અંગે પ્રકાશભાઈએ કૃષ્ણનગર પોલીસને જાણ કરતા પોલીસે નહાબેન પંડયા અને તેના પતિ જયેશ પંડયા અને હેમરાજસિંહ. ઝાલાની સામે દુઃત્પ્રેરણાનો ગુનો દાખલ કરી ત્રણેની ધરપકડ કરી હતી.

  • Related Posts

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    દાણીલીમડાના સુએજ ફાર્મ ખાતે મીલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા મજુરને વિજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. નારોલના ગોકુલનગર વિભાગ-બી ખાતે રહેતા ચંદન રાજેન્દ્ર પાંડે (ઉ.32) દાણીલીમડા સુએજ ફાર્મ ખાતેની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    રામોલનું ખાનવાડી તળાવ ઓવરફલો થઈ જતાં આસપાસમાં ગંદા પાણી ભરાતા લોકો ત્રાહિમામ્

    રામોલનું ખાનવાડી તળાવ ઓવરફલો થઈ જતાં આસપાસમાં ગંદા પાણી ભરાતા લોકો ત્રાહિમામ્