નારોલમાં સૂતરફેણીના ભાવના ઝઘડામાં યુવક પર છરીથી હુમલો

ધંધો કરતા બે યુવકો વચ્ચે ભાવ મુદે ઝઘડો થયો હતો

લાલદરવાજામાં સુતરફેણી વેચતા બે વ્યકિતઓ વચ્ચે ભાવતાલ બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં એક પક્ષે સામાપક્ષની સાથે ઝઘડો કરીને છરીથી હુમલો કરતા યુવકને ઈજા થઈ હતી. આ અંગે નારોલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

નારોલમાં રહેતા આમીનખાન પઠાણ લાલદરવાજા ખાતે સુતરફેણી વેચીને ગુજરાન ચલાવે છે. તેમની નજીકમાં રહેતા શાહરૂખ નથ્થનખાન પઠાણ તથા અરબાઝખાન ભુરેખાન પઠાણ પણ તેમની સાથે સૂતરફેણી વેચતા હતા. ગત મંગળવારે – આમીનખાનના મોટાભાઈ – માજીદખાન તથા શાહરૂખખાન – વચ્ચે લાલદરવાજા ખાતે _સૂતરફેણીના ભાવ તાલ બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ

આમીનખાન અને તેમના ભાઈ ઘરે આવી ગયા હતા. ત્યારબાદ સાંજના સમયે તેઓ ઘર પાસે હાજર હતા ત્યારે શાહરૂખખાન અને અરબાઝખાને આવીને તારા ભાઈએ અમને મારેલ છે અમે તેને મારીશુ તેમ કહીને અરબાઝખાને આમીનખાનને પકડી લીધો હતો. આ સમયે શાહરુખખાને પોતાની પાસેની છરી કાઢીને એક ઘા ઝીંકી દેતા તેને ડાબા પડખામાં ઈજા થઈ હતી.

આ સમયે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને વધુ માર મારવાથી બચાવ્યો હતો. ત્યારબાદ આમીનખાનને એલ જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં શાહરૂખખાન અને અરબાઝખાન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • Related Posts

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    દાણીલીમડાના સુએજ ફાર્મ ખાતે મીલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા મજુરને વિજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. નારોલના ગોકુલનગર વિભાગ-બી ખાતે રહેતા ચંદન રાજેન્દ્ર પાંડે (ઉ.32) દાણીલીમડા સુએજ ફાર્મ ખાતેની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    રામોલનું ખાનવાડી તળાવ ઓવરફલો થઈ જતાં આસપાસમાં ગંદા પાણી ભરાતા લોકો ત્રાહિમામ્

    રામોલનું ખાનવાડી તળાવ ઓવરફલો થઈ જતાં આસપાસમાં ગંદા પાણી ભરાતા લોકો ત્રાહિમામ્