શહેરના વટવામાં સદાનીધાબી કેનાલથી બીબી તળાવ ચાર રસ્તા તરફ જવાનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી બિસમાર બની ગયો છે. જેના લીધે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. વારંવાર ફરિયાદ કરવા છતાં મ્યુનિ. દ્વારા રોડનું સમારકામ કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવે છે. જેના લીધે ચોમાસામાં રોડ પર ટુ-વ્હીલર ચાલકો પડી જતાં અકસ્માત સર્જાવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. રોડનું સમારકામ કરવા લોકો માંગણી કરે છે.
અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ
આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…







