ઈસનપુરમાં આરોપી પોલીસને ગેરમાર્ગે દોરવા જતા ફસાયો

પોકેટકોપ એપમાં આઠ ગુના આચર્યાં હોવાનુ ખુલ્યું

ઈસનપુરમાં તાજેતરમાં થયેલી ઘરફોડ ચોરીમાં પોલીસે રીઢા ઘરફોડને ઝડપી પાડયો હતો. શરૂઆતમાં ચોરે પોલીસ પુછપરછમાં પોતાને આર્થિક તંગી હોઈ રૂપિયાની જરૂર માટે ચોરી કર્યાની વાત કરી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે પોકેટ કોપ એપ્લીકેશન પર આરોપીનો ઈતિહાસ ચકાસતા રીઢા ચોરની પોલ ખુલી ગઈ હતી

ઈસનપુરમાં મહેચ્છા સોસાયટીમાં ગત સાતમી માર્ચે અલયભાઈ શાહના ઘરમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ.4.20 લાખની મત્તાની ચોરી થઈ હતી. આ અંગે ઈસનપુર પોલીસે આરોપી ભાવેશ રાણાભાઈ મકવાણા (ઉ.22 રહે.બળીયાદેવની ચાલી, બહેરામપુરા)ની ધરપકડ કરી રૂ. 1.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ બી એસ જાડેજાએ આરોપીની પુછપરછ કરતા શરૂઆતમાં ભાવેશે પોતાને રૂપિયાની જરૂરત હોઈ ચોરી કર્યાનુ કહ્યુ હતુ. જો કે પોલીસને તેની કબુલાત સામે શંકા જતા તેની વિગતો પોકેટકોપ એપ્લીકેશનમાં નાંખીને તપાસ કરતા ભાવેશ રીઢો ઘરફોડ ચોર હોવાનું ખુલ્યુ હતુ.

ભૂતકાળમાં સને 2022 થી 2024 દરમિયાન ઘરફોડ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડીથી આરોપીએ અમદાવાદ શહેરના કાગડાપીઠ, પાલડી, ખોખરા, ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરી, લૂંટ અને મારામારીના આઠ ગુનાઓમાં મળી. કુલ આઠ જેટલા ગુન્હાઓમાં પકડાયેલ ગુન્હેગાર હોવાની વિગતો જાણવા મળી હતી. પોલીસે આરોપી આ મોડસ ઓપરેન્ડીથી ભૂતકાળમાં હજુ વધુ બીજા કોઈ ગુન્હા આચારેલા છે કે કેમ તેમજ કોઈ ગુન્હામાં પકડાયેલ કે વોન્ટેડ છે કે કેમ વિગેરે મુદાસર વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે

  • Related Posts

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી