ઓઢવમાં મહિલાને મળવા જવાની તકરારનું વેર વાળવા એસિડ એટેક

મહિલાની સાથેના સંબંધ કારણભૂત, પોલીસે તપાસ આદરી

એક વ્યક્તિ મહિલાને મળતો હોઈ ઠપકો આપતા મામલો ગરમાયો

ઓઢવમાં એસિડ એટેક કરવાની ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા ઘટસ્ફોટ થયો છે કે મૃતક અને તેની સાથે રહેતા લોકો પૈકી એક વ્યક્તિને નજીકની સોસાયટીમાં એક મહિલા સાથે સબંધ હોઈ તેને મળવા માટે જવા મામલે આરોપીએ તેને આમ નહીં કરવા ઠપકો આપ્યો હતો. જે મામલે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જેને લઈને આરોપીએ ત્રણ વ્યક્તિઓ સૂતા હતા ત્યારે એસિડ જેવુ જલદ પ્રવાહી છાંટતા એકનુ મોત નિપજયુ હતુ જયારે અન્ય બે ને સામાન્ય ઈજા થઈ હતી.

અર્બુદાનગરમાં જયશકિત સોસાયટીમાં ગત તા 27 મીએ રાતે શ્રવણદાન ગઢવી અને કૌટુંબિક ભત્રીજો શતિદાન ગઢવી અને અન્ય એક સબંધી ઘરમાં સૂતા હતા. ત્યારે મધરાતે અચાનક મોડીરાતે શ્રવણદાન ચીસો પાડવા લાગતા શતિદાન અને સબંધી જાગી ગયા હતા. ઈજાગ્રસ્ત શ્રવણ દાન ગઢવી અને શતિદાન ગઢવીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જયાં શ્રવણદાનને વધુ સારવાર માટે રાજસ્થાન લઈ જતા રસ્તામાં તેમનુ મોત થયું હતું. આ બનાવ અંગે ઓઢવ પોલીસે ચંદુભાઈ મેરૂભાઈ સિંહોરા સામે ગુનો દાખલ કર્યો હતો.

બીજ બાજુ ઓઢવ પોલીસ અને ક્રાઈમ બ્રાંચે આરોપીનુ પગેરુ દબાવીને ચંદુભાઈની સોમવારે ધરપકડ કરી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે આ કેસના ભોગ બનનારા અને આરોપી પણ ભાડાના મકાનમાં રહેતા હતા. તેમની સોસાયટીની નજીક આવેલી સોસાયટીમાં રહેતી એક મહિલા સાથે ભાડે રહેતા ત્રણ પૈકી એકને સબંધ હોઈ તેને મળવા માટે રાતના સમયે ચંદુભાઈના ઘર પાસેની દિવાલ ઠેકીને જવા મામલે તેમણે ઠપકો આપતાં ઝઘડો થયો હતો. વાતનુ મનમાં વેર રાખીને ચંદુભાઈએ એસિડ એટેક કર્યો હતો.

  • Related Posts

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી