નારોલમાં ઢાંકણું નહીં લગાવતાં ખુલ્લી ગટરથી એકસ્માતનો ભય

રજૂઆત છતાં ઢાંકણું લગાવવામાં તંત્ર ઉદાસીન

સુરતમાં ખુલ્લી ગટરમાં એક બાળક પડતાં ડુબી જતાં તેનું મોત નિપજ્યું હતુ. આ ઘટના બાદ અમદાવાદ શહેરમાં પણ ગટરના ખુલ્લા ઢાંકણા બંધ કરવા માટે મ્યુનિ.એ આદેશ કર્યો હતો. પરંતુ તેનો ખાસ કોઈ અમલ થતો ન હોય તેવું લાગી રહ્યું છે. કેમકે શહેરના નારોલ ખાતે રાધા કૃષ્ણ મંદિર પાસે ગટરનું ઢાંકણુ કેટલાય સમયથી લગાવતા નથી. જેના લીધે ત્યાંથી અવરજવર કરતા રાહાદારીઓ અને વાહનચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે.

આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, શહેરના લાંભા વોર્ડમાં નારોલના રાધા કૃષ્ણ મંદિર પાસે આવેલી વસંત વિહાર સોસાયટી ચાર રસ્તા નજીક છેલ્લા ઘણાં સમયથી ગટરનું ઢાંકણુ જ લગાવાયું નથી.

જેના કારણે લોકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે.આ ગટરનું ઢાંકણું લગાવવા માટે મ્યુનિ.કોર્પોરેશનમાં વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ અસરકારક કામગીરી કરાતી નથી. જેના લીધે વિસ્તારના રહીશોને ત્યાંથી આવનજાવન કરવામાં અકસ્માત થવાનો ભય સતાવે છે.

  • Related Posts

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી