નારોલમાં ઢાંકણું નહીં લગાવતાં ખુલ્લી ગટરથી એકસ્માતનો ભય

રજૂઆત છતાં ઢાંકણું લગાવવામાં તંત્ર ઉદાસીન

સુરતમાં ખુલ્લી ગટરમાં એક બાળક પડતાં ડુબી જતાં તેનું મોત નિપજ્યું હતુ. આ ઘટના બાદ અમદાવાદ શહેરમાં પણ ગટરના ખુલ્લા ઢાંકણા બંધ કરવા માટે મ્યુનિ.એ આદેશ કર્યો હતો. પરંતુ તેનો ખાસ કોઈ અમલ થતો ન હોય તેવું લાગી રહ્યું છે. કેમકે શહેરના નારોલ ખાતે રાધા કૃષ્ણ મંદિર પાસે ગટરનું ઢાંકણુ કેટલાય સમયથી લગાવતા નથી. જેના લીધે ત્યાંથી અવરજવર કરતા રાહાદારીઓ અને વાહનચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે.

આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, શહેરના લાંભા વોર્ડમાં નારોલના રાધા કૃષ્ણ મંદિર પાસે આવેલી વસંત વિહાર સોસાયટી ચાર રસ્તા નજીક છેલ્લા ઘણાં સમયથી ગટરનું ઢાંકણુ જ લગાવાયું નથી.

જેના કારણે લોકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે.આ ગટરનું ઢાંકણું લગાવવા માટે મ્યુનિ.કોર્પોરેશનમાં વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ અસરકારક કામગીરી કરાતી નથી. જેના લીધે વિસ્તારના રહીશોને ત્યાંથી આવનજાવન કરવામાં અકસ્માત થવાનો ભય સતાવે છે.

  • Related Posts

    ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી

    ઈજનેર સસપેન્ડ થયાં હવે સંપત્તિની તપાસ એસીબી દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડ કાર્યપાલક ઇજનેર સહિત અન્ય ઇજનેરોસામે તપાસ માટે એમના ઘર ઓફિસ અને લોકરોની તપાસ માટે…

    તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું

    ઈન્કમટેક્સ રિફંડને નામે સાઈબર ગઠિયા સક્રિય ફરિયાદો આવવાની શરૂ થતાં પોલીસની અપીલ ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. જેનો લાભ લઈને સાઈબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે સક્રિય થયા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી

    તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું

    અમરાઈવાડીમાં બે માસથી પાણીની લાઈનમાં લીકેજ

    ઈસનપુરમાં પેટીએમ સાઉન્ડ અપડેટના નામે ફોનની ચોરી

    નરોડામાંથી દારૂની 840 બોટલ ભરેલી કાર સાથે બે ઝડપાયા

    ઉ.ઝોનમાં ગંદકી બદલ 237 એકમોને નોટિસ