બાપુનગરમાં ગાળો બોલવા મામલે ઘાતક હુમલોઃ 1નું મોત, એકને ઈજા

બાપુનગર અને ક્રાઈમ બ્રાન્ચે કુલ છ આરોપીની ધરપકડ કરી

શહેરના બાપુનગર વિસ્તારમાં સોમવારની રાતે કર્ણાવતી એપાર્ટમેન્ટની બહાર ઉભા રહીને ગાળાગાળી કરી રહેલા છ વ્યકિતઓને ગાળો નહીં બોલવાનુ કહેતા બે મિત્રો ઉપર ઘાતક હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક યુવકનુ મોત જયારે અન્યને ગંભીર ઈજા થઈ હતી.આ મામલે સ્થાનિક પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી. જયારે બાકીના બે આરોપીઓની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.

બાપુનગર ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા પ્રિયેશકુમાર વછેટા ગત સોમવારે રાતના સમયે તેમના બનેવી વિજય સોલંકીના ઘરે બસ સ્ટેન્ડ પાસે આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટમાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ તેમના બનેવીની ઓફિસમાં બનેવી ઉપરાંત વિજયભાઈ ભરતભાઈ પરમાર, હાર્દિક રાજપરા, વિજય ઉર્ફે વિશાલ, ધવલ બારોટ સાથે બેઠા હતા. ત્યારે જયસિંહ અને તેની સાથેના લોકો ફલેટની બહાર ઉભા રહીને ગાળાગાળી કરી રહ્યા હતા. આ સમયે ફલેટની નજીક ઓફિસ ધરાવતા વિજય શ્રીમાળીએ ગાળો નહીં બોલવાનુ કહેતા જયસિંહ ઉશ્કેરાઈને મારામારી કરવા લાગ્યો હતો. તેનું ઉપરાણુ લઈને હર્ષદ સોલંકી, ભદ્રેશ ઉર્ફે બંટી સોલંકી, હિંમત સોલંકી, ગણપત સોલંકી સહિત છ જેટલા વ્યકિતઓ ઝધડો કરવા લાગ્યા હતા.

જયસિંહે તેની પાસે રહેલી છરી કાઢીને 19 વર્ષીય વિજય શ્રીમાળીને છાતીના ભાગે એક બાદ એક ઘા મારતા જમીન પર પટકાયો હતો. મામલો થાળે પડવવા વચ્ચે પડેલા વિજય બારોટને પણ આરોપીઓએ માથાના ભાગે લોખંડની પાઈપના ફટકા મારીને લોહીલુહાણ કરી દીધો હતો. દરમિયાન વધુ બુમાબુમ થતા આસપાસના લોકો ભેગા થઇ જતા તમામ 6 આરોપીઓ નાસી ગયા હતા. સારવાર દરમિયાન વિજય શ્રીમાળીનુ મોત નીપજ્યું હતું. આ મામલે બાપુનગર પોલીસે 5 આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને ચાર આરોપી હર્ષદ સોલંકી, ભદ્રેશ સોલંકી,હિમંત સોલંકી અને ગણપત સોલંકીની ધરપકડ કરી લીધી હતી. જયારે ગુનામાં ફરાર એવા આરોપી જયસિંહ અને ચિરાગ વાઘેલાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે.

  • Related Posts

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    દાણીલીમડાના સુએજ ફાર્મ ખાતે મીલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા મજુરને વિજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. નારોલના ગોકુલનગર વિભાગ-બી ખાતે રહેતા ચંદન રાજેન્દ્ર પાંડે (ઉ.32) દાણીલીમડા સુએજ ફાર્મ ખાતેની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    રામોલનું ખાનવાડી તળાવ ઓવરફલો થઈ જતાં આસપાસમાં ગંદા પાણી ભરાતા લોકો ત્રાહિમામ્

    રામોલનું ખાનવાડી તળાવ ઓવરફલો થઈ જતાં આસપાસમાં ગંદા પાણી ભરાતા લોકો ત્રાહિમામ્