સરદારનગરમાં યુવકની હત્યા કેસમાં ચાર ઝડપાયા

લાકડી અને ફેંટો મારી ઈજાગ્રસ્ત કર્યાની કબૂલાત

શહેરના સરદારનગરના સુત્તરના કારખાના પાસે એક શખ્સને માર મારતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ હત્યાના ગુનાના ચાર આરોપીને ક્રાઈમબ્રાંચે ઝડપી પાડી ગુનોનો ભેદ ઉકેલી દીધો છે.

સવા મહિના અગાઉ સરદારનગરમાં જગારામ સખારામ પાટીન નામના શખ્સના શંકાસ્પદ મૃત્યુ અંગે ક્રાઈમબ્રાંચે તપાસ હાથધરી હતી. જેમાં હ્યુમન ઈન્ટેલીજન્સ અને બાતમીના આધારે પોલીસે હસમુખ ઉર્ફે ભરત જગદીશ પહાડીયા (રહે. ઓઢવ), નાસીર હુસેન ઉર્ફે મામા અબ્દુલ હમીદ શેખ (રહે.રામોલ), દુર્ગેશ ઉર્ફે ગૌરવ સુરેશસિંગ કુશ્વાહ (રહે.નવા વાડજ) અને સુનિલ ઉર્ફે શિવા મેવાલાલ કોરી (રહે.કુબેરનગર)ને પકડી પાડયા હતા. કડક પુછપરછમાં કરતાં ચારેય આરોપીઓએ કબુલાત કરી હતી કે, સરદારનગરમાં નાસીરશેખની દુકાનની બાજુમાં જગરામ પાટીલને લાકડી અને ફેટો મારી ઈજાગ્રસ્ત કર્યો હતો. જો કે મારામારીના બનાવ બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. અંતે ચારેય આરોપીને સરદારનગર પોલીસને સોંપવા તજવીજ હાથધરાઈ છે. નોંધનીય છે યુવકની શંકાસ્પદ લાશ મળ્યા બાદ તપાસ કરતાં હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે.

  • Related Posts

    ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી

    ઈજનેર સસપેન્ડ થયાં હવે સંપત્તિની તપાસ એસીબી દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડ કાર્યપાલક ઇજનેર સહિત અન્ય ઇજનેરોસામે તપાસ માટે એમના ઘર ઓફિસ અને લોકરોની તપાસ માટે…

    તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું

    ઈન્કમટેક્સ રિફંડને નામે સાઈબર ગઠિયા સક્રિય ફરિયાદો આવવાની શરૂ થતાં પોલીસની અપીલ ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. જેનો લાભ લઈને સાઈબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે સક્રિય થયા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી

    તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું

    અમરાઈવાડીમાં બે માસથી પાણીની લાઈનમાં લીકેજ

    ઈસનપુરમાં પેટીએમ સાઉન્ડ અપડેટના નામે ફોનની ચોરી

    નરોડામાંથી દારૂની 840 બોટલ ભરેલી કાર સાથે બે ઝડપાયા

    ઉ.ઝોનમાં ગંદકી બદલ 237 એકમોને નોટિસ