દાણીલીમડાના કાપડના વેપારી પાસેથી 10.72 લાખનો માલ લઈ છેતરપિંડી કરી

મસ્કતી માર્કેટમાં ભાડાની દુકાન રાખી માલ લઈ વેપારી ફરાર થતા ફરિયાદ

વેપારીએ ચેક આપ્યા તમામ રિટર્ન થયા પછી મકાન વેચીને ગાયબ થઈ ગયો

દાણીલીમડામાં કાપડનો હોલસેલ વેપારીની સાથે વિશ્વાસ કેળવીને એક વ્યકિતએ 2021માં રૂ. 10 લાખથી વધુ કિંમતનો કાપડનો માલ પોતાની દુકાને મંગાવ્યો હતો. વેપારીએ રૂપિયાની ઉઘરાણી કરતા સામેપક્ષેથી પાંચ ચેક આપ્યા હતા જો કે તમામ ચેક બેંકમાં ભરતા રીર્ટન થયા હતા. વેપારીએ ઉઘરાણીકરતા ગઠીયો ફોન ઉપાડતો નહતો એટલુ જ નહી તેણે ફોન નંબર પણ બદલી નાખ્યા હતા. વેપારીએ તેના ઘરની તપાસ કરતા તે મકાન પણ બીજાને વેચાણ આપી દીધુ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. અંતે આ મામલે વેપારીએ રૂ. 10.72 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.

જમાલપુરમાં રહેતા ઈમરાનભાઈ રીંછડીવાલા દાણીલીમડા વિસ્તારમાં રીંછડીવાલા કંપાઉન્ડમાં ગોડાઉન ધરાવી

હોલસેલમાં કાપડનો વેપાર કરે છે. તેમના કાપડના એજન્ટ જનક ખત્રી મારફતે તેમની ઓળખાણ વેપારી વિજયકુમાર મતાઈ સાથે થઈ હતી. આ વિજયે તેમના ગોડાઉન પર આવી કાપડનો માલ જોઈને ગત જાન્યુ. 2021માં રૂ. પાંચ લાખનો માલ ખરીદવાની વાત કરીને માલ મસ્કતી માર્કેટ કાલુપુર ખાતે મોકલી આપવાનુ કહ્યુ હતુ. ત્યારબાદ અઠવાડીયા પછી માલના રૂપિયાની ઉઘરાણીકરતા વિજયે ફોન કરીને તમે મને બીજો માલ મોકલી આપો તો બંનેના રૂપિયા સાથે આપી દઈશ.

ઈમરાનભાઈએ વિશ્વાસ રાખીને બીજો માલ મોકલી આપતા તેમને કુલ રૂ. 10.72 લાખ લેવાના નીકળતા હતા. ત્યારબાદ ઉઘરાણી કરતા વિજય મતાઈ રૂપિયા આપતા નહતા. વારંવાર ઉઘરાણી કરતા વિજયે કુલ ચાર ચેક ઈમરાનભાઈને આપ્યા હતા. જે બેંક્માં ભરતા તમામ ચેક રીટર્ન થયા હતા. ત્યારબાદ ફોન કરતા વિજયનો ફોન બંધ

આવતો હતો. અન્ય વેપારી પાસેથી બીજો નંબર લઈને કરતા વાયદા કર્યા હતા. ત્યારબાદ તે નંબર પણ બંધ કરી દીધો હતો. આમ વિજય વાંરવાર ફોન નંબર બદલતો રહેતો હતો. ઈમરાનભાઈએ તેના ઘરે જતા વિજયે રૂપિયા આપી દેવાનુ કહ્યું હતુ. જો કે બાદમાં મકાને જતા મકાન બીજાને વેચાણ આપી દીધુ હોવાનુ અને તેની દુકાન પણ ભાડાની હોઈ પાછી આપી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. વારંવાર તપાસ કરવા છતાં વિજયનો કોઈ પત્તો નહી લાગતા અંતે ઈમરાન ભાઈએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં વિજય મતાઈ સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.

છેલ્લા ચાર વર્ષથી વેપારીની શોધખોળ કરવા છતા તેનો કોઈ સંપર્ક થતો ન હતો. તેમજ વેપારી વારંમવાર ફોન નંબર બદલતો હોઈ રૂપિયા પાછા નહી આવે તેમ લાગતા વેપારીએ અંતે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો.

  • Related Posts

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી