ઈસનપુરમાં નકલી સોનાના નેકલેશથી રૂ. સવા બે લાખની લોન લઈ ઠગાઇ

કંપનીના ભૂતપૂર્વ બ્રાંચ હેડ અને લોન લેનાર સામે ફરિયાદ

કંપનીની તપાસમાં સોનાના બદલે સળીયા જેવી ધાતુ નીકળી

ઈસનપુરમાં આવેલી એક ખાનગી ફાયનાન્સ કંપનીમાં સોનાનો નકલી નેકલેશ ગીરવે મુકીને રૂપિયા 2.25 લાખની લોન મેળવીને હપ્તા નીં ભરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવા બદલ લોન લેનાર અને લોન પાસ કરનારા કંપનીના કર્મચારી સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

નરોડામાં રહેતા રાહુલભાઈ બામનીયા ઘોડાસર વિસ્તારમાં એમ્પાયર હાઈટ્સમાં આવેલી આશીર્વાદ માઈક્રો ફાયનાન્સ લિ. કંપનીમાં બ્રાંચ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. આ બ્રાંચમાં અગાઉ અજીતસિંહ ઠાકોર( હાલ રહે ઉત્તરપ્રદેશ) બ્રાંચ હેડ તરીકે ફરજ બજાવતા હતા.

ગતતા 18 ડિસેમ્બર, 2023ના રોજધિરેન્દ્રભાઈ ઓમપ્રકાશભાઈ સોની કંપનીની ઘોડાસર બ્રાંચમાં સોનાનો નેકલેશ લઈને લોન લેવા માટે આવ્યા હતા. તે વખતને બ્રાંચ હેડ અજીતસિંહ ઠાકોરને લોન માટે વાત કરતા તેમણે સોનાના નેકલેશની ચકાસણી કર્યા વિના લોન મંજૂર કરીને રોકડા રૂપિયા 2.25 લાખ ધિરેન્દ્રભાઈ સોનીને આપી દીધા હતા. આ દરમિયાન સપ્ટેમ્બર. 2024માં કંપનીની વિજીલન્સ ટીમના અધિકારી વીઝીટ કરતા જે નેકલેશ પર ધિરેન્દ્રભાઈને લોન આપવામા આવી હતી તે નેકલેશ ખોટુ અને અંદર સળીયા જેવી ધાતુ નીકળી હતી.

આ અંગે ધિરેન્દ્રભાઈને ફોન કરીને જાણ કરતા તેમણે મારા સોનાના નેકલેશનુ ઓકશન કરીને વેચી નાંખો હું ગોલ્ડ બદલી આપીશ નહીં તેમ કહ્યું હતુ. ત્યારબાદ અવારનવાર કંપની તરફથી સોનાના નેકલેશ પર લીધેલી લોનના હપ્તા ભરવા માટે કહેવામાં આવતા ધિરેન્દ્રભાઈએ કોઈ હપ્તા ભર્યા નહતા તેમજ બ્રાંચનો સંપર્ક કર્યો નહતો. અંતે આ મામલે કંપનીના બ્રાંચ હેડ રાહુલભાઈએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં નકલી સોનાનો નેકલેશ પધરાવી લોન લેવા અને લોન પાસ કરવા બદલ કંપનીના અગાઉના બ્રાંચહેડ અજીતસિંહ ઠાકોર સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.

  • Related Posts

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    દાણીલીમડાના સુએજ ફાર્મ ખાતે મીલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા મજુરને વિજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. નારોલના ગોકુલનગર વિભાગ-બી ખાતે રહેતા ચંદન રાજેન્દ્ર પાંડે (ઉ.32) દાણીલીમડા સુએજ ફાર્મ ખાતેની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    રામોલનું ખાનવાડી તળાવ ઓવરફલો થઈ જતાં આસપાસમાં ગંદા પાણી ભરાતા લોકો ત્રાહિમામ્

    રામોલનું ખાનવાડી તળાવ ઓવરફલો થઈ જતાં આસપાસમાં ગંદા પાણી ભરાતા લોકો ત્રાહિમામ્