ખોખરામાં વગર ચોમાસે ભૂવો પડતાં એએમસી તંત્રની આબરૂ ધોવાઈ ગઈ

બે માસ પહેલાં બનેલા રોડ પર ભૂવા પડતાં કામમાં વેઠ ઉતારી ?

બેરીકેડ મૂકીને સંતોષના બદલે તાકીદે સમારકામ કરવા માંગ ઊઠી

શહેરના ખોખરા વોર્ડના લક્ષ્મી નારાયણ ચાર રસ્તા પાસે બે માસ પહેલા બનાવેલા રોડ પર જ ભૂવો પડ્યો છે. જેના પરથી રસ્તો બનાવાની કામગીરીમાં વેઠ ઉતારી હોવાની ચર્ચાએ વેગ પકડયું છે. બીજી તરફ ભૂવાના લીધે વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

ત્યારે જુની આદત પ્રમાણે સરકારી તંત્ર ગોકળગાયની ગતિમાં કામ કરવાના બદલે તાકિદે કામગીરીકરે તેવી લોકો માંગણી કરી રહ્યા છે. આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, ખોખરાના લક્ષ્મીનારાયણચાર રસ્તા પાસેના ૩ ફૂટ જેટલો ઊંડો ભૂવો પડયો છે. મુખ્ય રોડ પર ભૂવો પડયો હોવાથી વાહનચાલકોનેઅવરજવર કરવામાં તકલીફ પડી. રહી છે. આશરે બે મહિના અગાઉ જ આ રોડ બનાવવાનું કામ મ્યુનિ તંત્ર. દ્વારા કરવામાં આવ્યું હતુ.

હવે આ નવા રોડ પર જ ભૂવો પડતાં લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.શું રોડ બનાવાની કામગીરીમાં હલકી કક્ષાના મટીરિયલનો ઉપયોગ કરાયો ? શું રોડની કામગીરી કરનારા કોન્ટ્રાકટરે વેઠ ઉતારતું કામ કર્યું છે ? જેવા અનેક સવાલો ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે મ્યુનિ દ્વારા તાકિદે આ ભૂવાનું સમારકામ વહેલામાં વહેલી તકે કરવા માટે લોકો માંગણી કરી રહ્યા છે.

  • Related Posts

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    દાણીલીમડાના સુએજ ફાર્મ ખાતે મીલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા મજુરને વિજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. નારોલના ગોકુલનગર વિભાગ-બી ખાતે રહેતા ચંદન રાજેન્દ્ર પાંડે (ઉ.32) દાણીલીમડા સુએજ ફાર્મ ખાતેની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    રામોલનું ખાનવાડી તળાવ ઓવરફલો થઈ જતાં આસપાસમાં ગંદા પાણી ભરાતા લોકો ત્રાહિમામ્

    રામોલનું ખાનવાડી તળાવ ઓવરફલો થઈ જતાં આસપાસમાં ગંદા પાણી ભરાતા લોકો ત્રાહિમામ્