નારોલમાં વ્યાજખોરે કોર્ટમાં કેસ કરી રૂપિયા માગી ત્રાસ આપતા ફરિયાદ

દરજીએ હોમલોનના હપ્તા ભરવા માટે વ્યાજે રૂપિયા લીધા હતા

નારોલમાં રહેતા દરજીકામ કરતા પુરુષે હાઉસીંગ લોન લીધી હતી જેના હપ્તા ચડી જતા વ્યાજખોર પાસેથી રૂપિયા લીધા હતા. જો કે વ્યાજખોરે તેમની પાસેથી 11 ટકા વ્યાજના ઈન્સ્યોરન્સ અને ખર્ચના 10 હજાર વગેર મળી રૂ.1.20 લાખમાથી માત્ર 96,800 આપ્યા હતા. ત્યારબાદ રૂ.1.42 લાખનુ નોટરાઈઝ લખાણ કરાવી લીધુ હતુ અને સિકયુરીટી પેટે લીધેલા ચેક બેંકમાં ભરીને રીર્ટન થતા તેમની વિરુદ્ધ નેગો કોર્ટમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ પણ ફોન કરીને રૂપિયાની ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપતા અંતે આ અંગે વ્યાજખોર સામે નારોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

નારોલમાં રહેતા ભૌમિકભાઈ રસાણીયા(ઉ.40) દરજીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની હાઉસિંગ લોન ચાલતી હતી અને લોનના તેના હપ્તા ભરપાઇ કર્યા ન હતા. જેથી લોન ભરપાઈ કરવા તેમને રૂપિયાની જરૂર પડતા વર્ષ 2022માં મિત્ર મિત રાદડિયાને જણાવ્યુ હતુ. આ અંગે મિતએ સુભાષભાઈ કડોલે (રહે. ચાંદખેડા) સાથે સંપર્ક કરાવ્યો હતો. જેમાં સુભાષભાઈએ ભૌમિકભાઈને કુલ રૂ. 1.20 લાખ 11ટકા વ્યાજે આપ્યા હતા. જેમાં વ્યાજના 13200 ખર્ચ પેટે રૂ. 5 હજાર અને ઈન્સ્યોરન્સ પેટે રૂ. 5 હજાર લઈ રૂ. 96,800 જ આપ્યા હતા. ત્યારબાદ સુભાષભાઈએ એડવોકેટની ઓફિસે બોલાવીને રૂ. 1.42 લાખનું નોટિરાઈઝ લખાણ કરાવ્યુ હતુ. તેમજ સિક્યુરિટી પેટેબે ચેકો પણ આપ્યા હતા.

ભૌમિકભાઈ સમયસર વ્યાજ ચૂકવતા હોવા છતા સુભાષભાઈએ એક ચેક બેન્કમાં ભર્યો હતો તેરિર્ટન થતા ગાંધીનગર કોર્ટમાં ભૌમિકભાઈ સામે ફરિયાદ કરી હતી. તેમ છતા સુભાષભાઈએ અવારનવાર પઠાણી ઉઘરાણી કરીને વધુ રૂપિયાની માંગણી કરી હતી. જેથી કંટાળીને ભૌમિકભાઈએ સુભાષભાઈ સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

  • Related Posts

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી