અમરાઈવાડીમાં બે માસથી પાણીની લાઈનમાં લીકેજ

વિસ્તારમાં અપૂરતા પ્રેસરથી પાણીની સમસ્યા

શહેરના અમરાઈવાડી વોર્ડમાં પોસ્ટ ઓફિસ સામે આવેલી જયભવાની નગરમાં છેલ્લા બે મહિનાથી પાણીની લાઈન લીકેજ થઈ ગઈ છે. જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થતો હોય છે, પરંતુ મ્યુનિ દ્વારા લીકેજનું સમારકામ કરાતુ ન હોવાથી વિસ્તારમાં પાણી અપુરતા પ્રેશરથી આવતા હોવાની ફરિયાોદ ઊઠવા લાગ્યા છે.આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, અમરાઈવાડી પોસ્ટ ઓફિસ સામે ન્યૂ જયભવાની નગરમાં બે માસથી પાણીની લાઈન લીકેજ થતાં પાણી રોડ પર ફરી વળે છે. રોડ પર પાણી ભરાઈ રહેતા હોવાથી લોકોને અવરજવર કરવામાં તકલીફ પડે છે.

ઉપરાંત પાણી ભરાઈ રહેતા હોવાથી વિસ્તારમાં લગાવેલા બ્લોક અને પથ્થરો પણ તુટવા લાગતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જો કે પાણીની લાઈનમાં લીકેજના લીધે દરરોજ હજારો લીટર પાણીનો વેડફાટ થતો હોવા મામલે સ્થાનિકો દ્વારા વારંવારમ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીઓમાં ફરિયાદો કરવામાં આવે છે. તેમ છતાં તંત્ર દ્વારા લોકોની ફરિયાદો પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી. એટલે તાકિદે લીકેજ લાઈનનું સમારકામ કરવા લોકો માંગણી કરી રહ્યા છે.નોંધનીય છે કે, પાણી બચાવોની સુફિયાણી સલાહ મ્યુનિ તંત્ર નાગરિકોને આપતુ હોય છે, પરંતુ પાણી બચાવાની બાબત ખુદ તંત્ર બેદરકારી દાખવતુ હોવાનું છાશવારે જોવા મળે છે. શહેરના અનેક વિસ્તારોમાં અવારનવાર પાણી લીકેજની ફરિયાદો ઊઠતી હોય છે. ત્યારે તંત્ર દ્વારા આવી ફરિયાદોમાં તાકિદે કામ કરવામાં નથી આવતું.

  • Related Posts

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી