ગોમતીપુરમાં વર્ષો જૂના 200થી વધારે છાપરાં તોડવાની નોટિસ

પૂર્વ ઝોનની મ્યુનિ કચેરીમાં ઉગ્ર રજૂઆત કરાઈ

શહેરના ગોમતીપુર વોર્ડમાં વર્ષો જુના 200થી વધુ છાપરાને 21 દિવસમાં ખાલી કરવા અને તોડી પાડવાની નોટિસ ફટકારતા રહીશોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેના પગલે સ્થાનિકો સાથે કોર્પોરેટર દ્વારા પૂર્વ ઝોનની કચેરીમાં જઈને ધારદાર રજૂઆત કરાઈ હતી.

આ અંગે સ્થાનિક કોર્પોરેટ ઈકબાલ શેખે જણાવ્યું હતું કે, ગોમતીપુર વોર્ડના આબાંવાડીના છાપરા અને ચકુડિયા મહાદેવના આશરે 200 થી વધારે છાપરાને મ્યુનિ.કોર્પોરેશને 21 દિવસમાં ખાલી કરવાની નોટિસ આપી છે. જો તેઓ 21 દિવસમાં ખાલી નહીં કરે તો તેમના માલસામાન સાથે તોડી પાડવાની નોટિસ અપાતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. જો કે આ છાપરા વર્ષ 1980 પહેલાના છે તેમ છતાં તેને તોડવાની વાત કરાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એટલે આ મામલે સ્થાનિકો દ્વારા પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિ કમિશ્નરને ધારદાર રજૂઆતો કરી હતી. એટલે ડેપ્યુટી કમિશ્નર દ્વારા તમામના પુરવાઓ ચકાસીને તેમને યોગ્ય વળતર આપવાની બાંહેધરી આપી હકારાત્મક વલણ અપનાવ્યું હતું. જેના પગલે લોકોએ રાહતના શ્વાલ લીધા હતા. આ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો સ્થાનિકો દ્વારા આંદોલન કરાશે.

  • Related Posts

    ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી

    ઈજનેર સસપેન્ડ થયાં હવે સંપત્તિની તપાસ એસીબી દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડ કાર્યપાલક ઇજનેર સહિત અન્ય ઇજનેરોસામે તપાસ માટે એમના ઘર ઓફિસ અને લોકરોની તપાસ માટે…

    તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું

    ઈન્કમટેક્સ રિફંડને નામે સાઈબર ગઠિયા સક્રિય ફરિયાદો આવવાની શરૂ થતાં પોલીસની અપીલ ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. જેનો લાભ લઈને સાઈબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે સક્રિય થયા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી

    તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું

    અમરાઈવાડીમાં બે માસથી પાણીની લાઈનમાં લીકેજ

    ઈસનપુરમાં પેટીએમ સાઉન્ડ અપડેટના નામે ફોનની ચોરી

    નરોડામાંથી દારૂની 840 બોટલ ભરેલી કાર સાથે બે ઝડપાયા

    ઉ.ઝોનમાં ગંદકી બદલ 237 એકમોને નોટિસ