શહેરમાં સામાન્ય રીતે ચોમાસા પહેલા તમામ ડ્રેનેજ લાઈનોની કામગીરી પૂર્ણ કરી લેવાની હોય છે. પરંતુ રખિયાલના અજીતમીલ પાસે ગુજરાત બોટલીંગ ચાર રસ્તા નજીક ડ્રેનેજ લાઈનની કામગીરી મંથરગતિમાં ચાલી રહી હોવાના લીધે વાહનચાલકોને હેરાનગતિ ભોગગવી પડે છે. રોડ વચ્ચે જ ગટરલાઈનના મશીન હોલ પાસે બેરીકેડ લગાવીને કામગીરી કરાતી હોવાના લીધે રસ્તો સાંકડો થઈ ગયો છે. ચોમાસામાં પણ જો કામગીરી આ જ રીતે ચાલતી રહેશો તો પાણી ભરાવાની સમસ્યા સર્જાય તેવી શક્યતા રહેલી છે. એટલે વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા લોકમાંગ ઊઠી છે.
અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ
આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…







