સીટીએમ બ્રિજ પાસે ભૂવાના રિપેરિંગ પછી પખવાડિયાથી રસ્તો બનતો નથી

બેરિકેડ હોવાથી રસ્તો સાંકડો થતાં હજારો વાહનચાલકોને હાલાકી

મ્યુનિ.માં રજૂઆત કરવા છતાં રસ્તો બનાવામાં તંત્રની ઉદાસીનતા

શહેરના સીટીએમ ઓવરબ્રિજમાં હાટકેશ્વર તરફ જતાં છેડે પડેલા ભૂવાનું મ્યુનિ દ્વારા સમારકામ કરાયું હતું. સમારકામને પખવાડિયા જેટલો સમય થયો છતાં રોડ પાકો બનાવાયો ન હોવાના લીધે ભૂવાને ફરતે બેરિકેડ મુકેલા છે. જેના કારણે રોડ સાંકડો થતાં ટ્રાફિકજામની સમસ્યાથી હજારો વાહનચાલકો અને રાહદારીઓને હેરાન થવાનો વારો આવ્યો છે. એટલે રોડનું સમારકામ કરવા લોકમાંગ ઊઠવા પામી છે.

આ અંગે સામાજિક કાર્યકર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે,સીટીએમ ઓવરબ્રિજ બ્રિજથી રામોલ તરફથી આવતો ટ્રાફિક હાટકેશ્વર રોડ તરફ જતો હોય છે. ત્યારે થોડા સમય પહેલા હાટકેશ્વર તરફના રોડ પર ઓવરબ્રિજના છેડે ભૂવો પડયો હતો.

જેના પગલે મ્યુનિ.એ બેરિકેડ મુકીને સમારકામ કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન કામગીરી ચાલતી હોવાના લીધે લોકોને અવરજવર કરવામાં તકલીફ પડતી હતી. એટલે લોકો માંગણી કરી રહ્યા હતા કે, આ ભૂવાનુ સમારકામ વહેલી તકે પૂર્ણ થાય. જો કે સમારકામ પૂર્ણ થયાને 15 દિવસ જેટલો સમય થઈ ગયો છે.

પરંતુ બેરિકેડ હટાવીને ડામર નાંખીને રસ્તો બનાવાતો નથી. એટલે ભૂવાનું સમારકામ બાદ પણ પાકો રસ્તો બનાવવામાં તંત્રની ઉદાસીનતા લીધે હજુ પણ બેરીકેડ લાગેલા છે. જેના કારણે રસ્તો સાંકડો હોવાના લીધે હજારો નાગરિકોને હેરાનગતિ ભોગવવી પડે છે. જો કે એએમસીની સબઝોનલ કચેરીની સામે જ રોડ બનાવાની કામગીરી કરાતી ન હોવાના લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ત્યારે આ મામલે મ્યુનિ. કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ તસ્દી લેતું જ નથી.

  • Related Posts

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી