દક્ષિણ ઝોનમાં ટીપી રોડ સહિતના જુદા જુદા રસ્તા પર ભૂવાના સમારકામ પાછળ રૂ.4.85 કરોડ ખર્ચાશે

નાગરિકોના ટેક્સની કમાણી વરસાદના કારણે રોડ-રસ્તાના સમારકામમાં સમાણી

વટવા વૉર્ડના જુદા જુદા રસ્તાના સમારકામ અને નવા બનાવવા રૂ.52.30 લાખનો ખર્ચ કરાશે

શહેરના દક્ષિણ ઝોનના વટવા, લાંભા, ઈસનપુર, ઈન્દ્રપુરી સહિતના વિસ્તારમાં ચોમાસામાં પડેલા ભૂવાના સમારકામ કરવા સહિતના કામ માટે કુલ રૂ.4.85 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાં વટવા વોર્ડમાં 52.30 લાખનો ખર્ચ અને ઈન્દ્રપુરી વોર્ડમાં 15 લાખનો ખર્ચે ભૂવાના સમારકામ કરાશે. એટલે પ્રજાના ટેક્સની કમાણી રસ્તા બનાવવામાં સમાણી જેવો ઘાટ ઘડાયો છે.

મ્યુનિ.ના જણાવ્યા મુજબ, દક્ષિણ ઝોનમાં જુદા જુદા રોડ પરના પોટહોલ્સ મોબાઈલ ઈન્ફ્રારેજ ટેકનોલોજીથી રીપેરીંગ કરવા માટે રૂ.૩ કરોડનો ખર્ચ કરાશે. જ્યારે ઝોનના જુદા જુદા વોર્ડમાં આવેલા ટીપી રોડ ન્ય જગ્યાએ પડેલાપોટ હોલ્સ રીપેર કરવા મીલીગ કરી પેચવર્ક કરવાના કામ અને જરૂરી કામગીરી કરવા માટે રૂ.1 કરોડનો ખર્ચ કરાશે.ઉપરાંત લાંભા વોર્ડમાં લાંભા ગામ,ઈન્દીરાનગર ભાગ 1 અને 2, લક્ષ્મીપુરા, સુરતીપુરા તથા જુદી જુદી જગ્યાએ હેન્ડ લેઈગથી પેચવર્કકરવા માટે રૂ.10 લાખ ખર્ચ કરાશે.

વટવા વોર્ડમાં ગામતળ વિસ્તારમાં તેમજ અન્ય જુદી જુદી જગ્યાએ ધારાસભ્ય,કાઉન્સિલરના બજેટમાંથી અને જરૂરિયાત મુજબના અન્ય બજેટમાંથી આરસીસી રોડ રીપેરીંગકરવા અને નવો આરસીસી રોડ બનાવવા માટે રૂ.12.50 લાખના ખર્ચ કરવામાં આવશે.વટવા વોર્ડમાં ઘોડાસર અને નવા વટવા વિસ્તારમાં ડ્રેનેજ-પાણીના ખોદાણમાં તેમજ જુદા જુદા રોડ પરના ખાડામાં વેટમીક્ષ સપ્લાય કરી જરૂરી જગ્યાએ ખાડા પુરાણ કરી રોડ મોટરેબલ કરવા કામ રૂ.9.80 લાખના ખર્ચે કરાશે. આ ઉપરાંત વટવા વોર્ડમાં જુદા જુદા વિસ્તારમાં અને જુદા જુદા ટીપી રોડ પર ડ્રેનેજ-પાણીના ખોદાણ કરેલા ભાગને જરૂરી જગ્યાએ હેન્ડ લેઈંગથી પેચવર્ચ કરવા માટે રૂ.30 લાખ ખર્ચવામાં આવશે.

અમરાઈવાડીમાં વિસ્તારમાં પેચવર્ક કરવાના કામ માટે રૂ.15 લાખ ખર્ચાશે

ઈન્દ્રપુરી વોર્ડમાં અમરાવાડી વિસ્તારમાં પ્રગતિનગર ન્યુ # ભવાની નગર, બળિયાનગર, નરસિંહનગરના આંતરિક ટીપી રોડ પર પેચવર્ક કરવા માટે રૂ. 15 લાખનો ખર્ચ કરાશે. જ્યારે ઈસનપુર વોર્ડમાં જુદા જુદા રસ્તાઓ પર પડતાં ખાડાઓ તથા મેનહોલ રેઈઝીંગના કામ, પેચવર્કના કામમાં માટે રૂ.8.30 લાખ ખર્ચ કરવામાં આવશે.

  • Related Posts

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી