નારોલ બ્રિજના છેડેથી ગામ તરફના દોઢ કિ.મી.ના રોડ પર ગાબડા પડ્યાં

રોડ બિસમાર બની ગયો હોવાથી અકસ્માતનું જોખમ રહે છે

રોડનું સમારકામ કરવા વારંવાર રજૂઆત છતાં તંત્ર ઉદાસીન

શહેરના નારોલ બ્રિજના છેડાથી નારોલ ગામ તરફ જતાં દોઢ કિલોમીટરનો રસ્તો છેલ્લાં ઘણા સમયથી બિસમાર બની ગયો છે. જેના કારણે લોકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે. રોડ પર મોટા મોટા ગાબડા પડી ગયા હોવાથી વાહનો પલટી ખાઈ જવાની શક્યતા સેવાઈ રહી છે. એટલે આ રોડ પર અકસ્માત સર્જાવાનું જોખમ હોવાથી તાકિદે રોડનું સમારકામ કરવા લોકો માંગણી કરી રહ્યા છે.

આ અંગે સ્થાનિકોએ કહ્યું હતું કે, નેશનલ હાઈવે નં.8 ઈસનપુરથી નારોલ જતાં ઓવરબ્રિજના છેડાથી નારોલ ગામ તરફ જતા દોઢ કિલોમીટરના રોડ ઠેર ઠેર તુટી ગયેલો છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ હેરાન પરેસાન થઈ ગયા છે. સમગ્ર દોઢ કિલોમીટરના રોડ પર દસ-દસ ફુટના ગાબડા પડ્યા છે, તેમજ પાંચ દિવસથી વરસાદ બંધ છે તેમ છતાં ગાબડામાં પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકો ભૂલથી તેમાં પડી જાય તો બેલેન્સ ગુમાવી દેવાના લીધે અકસ્માતના બનાવો બની રહ્યા છે. ઈસનપુર અને લાંભા વોર્ડની હદમાં આવતા રોડનું સમારકામ કરવામાં એક પણ વોર્ડના જવાબદાર અધિકારીઓ આગળ આવતા નથી.

એટલે મામલે સ્થાનિક પ્રદિપ યાદવ દ્વારા મ્યુનિ.માં અને કાઉન્સિલરોને ફરિયાદો કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી. ઉપરાંત બિસમાર રોડના લીધે અવારનવાર નાના અકસ્માત થાય છે. નોંધનીય છે કે ટેક્સ ઉધરાવામાં અવ્વલ નંબરે રહેતું મ્યુનિ તંત્ર સારા રસ્તા આપવામાં પણ ઉદાસીતના દાખવી રહ્યું છે.

  • Related Posts

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી