અમરાઈવાડી, રામોલ અને નિકોલમાં ત્રણે ફાંસો ખાધો

48 કલાકમાં આત્મહત્યાની ત્રણ ઘટના નોંધાઈ

શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 48 કલાક દરમિયાન આત્મહત્યાના ત્રણ અલગ અલગ બનાવોમાં એખ યુવતી સહિત ત્રણ વ્યકિતઓએ ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો.આ મામલે હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પોલીસસૂત્રોમાં મળતીમાહિતી અનુસાર અમરાઈવાડીમાં ગાધી સેવા સંધ પાસે રહેતા દીપકકુમાર ગનોરે(ઉ.29) સરદારનગર કોમ્યુનિટી હોલખાતે સફાઈ કરવા માટે ગયા હતા. જયાં તેમણે કોઈ કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

બીજી ઘટનામાં નિકોલમાં સુરેશભાઈ અશ્વમેઘ રો હાઉસની બાજુમાં તુલસી રો હાઉસમાં રહેતા જયેશભાઈ પંચાલ(ઉ.23)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે ચાદર બાંધીને ગળેફાંસો ખાધો હતો. આ દરમિયાન પરિવારજનો આવી જતા તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જો કે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

રામોલ ન્યુ મણિનગરમાં આવેલા શ્રીનંદ સીટી -6 માં રહેતા વૃશાલીબેન ધિરેન્દ્રસિંહ ગીરાસે(ઉ.30)એ કોઈ કારણોસર પોતાના ઘરમાં પંખા સાથે સાડી બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે સબંધિત પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

  • Related Posts

    ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી

    ઈજનેર સસપેન્ડ થયાં હવે સંપત્તિની તપાસ એસીબી દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડ કાર્યપાલક ઇજનેર સહિત અન્ય ઇજનેરોસામે તપાસ માટે એમના ઘર ઓફિસ અને લોકરોની તપાસ માટે…

    તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું

    ઈન્કમટેક્સ રિફંડને નામે સાઈબર ગઠિયા સક્રિય ફરિયાદો આવવાની શરૂ થતાં પોલીસની અપીલ ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. જેનો લાભ લઈને સાઈબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે સક્રિય થયા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી

    તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું

    અમરાઈવાડીમાં બે માસથી પાણીની લાઈનમાં લીકેજ

    ઈસનપુરમાં પેટીએમ સાઉન્ડ અપડેટના નામે ફોનની ચોરી

    નરોડામાંથી દારૂની 840 બોટલ ભરેલી કાર સાથે બે ઝડપાયા

    ઉ.ઝોનમાં ગંદકી બદલ 237 એકમોને નોટિસ