અમરાઈવાડી, રામોલ અને નિકોલમાં ત્રણે ફાંસો ખાધો

48 કલાકમાં આત્મહત્યાની ત્રણ ઘટના નોંધાઈ

શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 48 કલાક દરમિયાન આત્મહત્યાના ત્રણ અલગ અલગ બનાવોમાં એખ યુવતી સહિત ત્રણ વ્યકિતઓએ ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો.આ મામલે હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પોલીસસૂત્રોમાં મળતીમાહિતી અનુસાર અમરાઈવાડીમાં ગાધી સેવા સંધ પાસે રહેતા દીપકકુમાર ગનોરે(ઉ.29) સરદારનગર કોમ્યુનિટી હોલખાતે સફાઈ કરવા માટે ગયા હતા. જયાં તેમણે કોઈ કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

બીજી ઘટનામાં નિકોલમાં સુરેશભાઈ અશ્વમેઘ રો હાઉસની બાજુમાં તુલસી રો હાઉસમાં રહેતા જયેશભાઈ પંચાલ(ઉ.23)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે ચાદર બાંધીને ગળેફાંસો ખાધો હતો. આ દરમિયાન પરિવારજનો આવી જતા તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જો કે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

રામોલ ન્યુ મણિનગરમાં આવેલા શ્રીનંદ સીટી -6 માં રહેતા વૃશાલીબેન ધિરેન્દ્રસિંહ ગીરાસે(ઉ.30)એ કોઈ કારણોસર પોતાના ઘરમાં પંખા સાથે સાડી બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે સબંધિત પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

  • Related Posts

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી