અમરાઈવાડીમાં વકીલના ઘરેથી રૂ. 3.43 લાખની મતાની ચોરી

મહિલા પિયર ગઇ ત્યારે ચોરે ઘરને નિશાન બનાવ્યું

અમરાઈવાડીમાં રહેતા મહિલા વકીલના ઘરનુ તાળુ તોડી તસ્કરો રોકડા રૂ.1.50 લાખ અને સોનાચાંદીના દાગીના મળી કુલ રૂ. 3.43 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા.

અમરાઈવાડીમાં રહેતા અશ્વિનાબેન પરમાર કોર્ટમાં વકીલ તરીકે પ્રેકટીસ કરે છે. તેમના લગ્ન ચાર વર્ષ પહેલા શુભમભાઈ સાથે થયા હતા. છેલ્લા 20 દિવસથી અશ્વિના બેન તેમના પિયરમાં રહેવા માટે ગયા છે. દરમિયાન તેમના પતિ અને સાસુ અમરાઈવાડીના તેમના ગુપ્તા શેઠની ચાલીના મકાનમાં રહેતા હતા. ગત રવિવારે અશ્વિનાબેન પિયરમાં હતા.

ત્યારે પાડોશીનો ફોન આવ્યો અને જણાવ્યુ કે તમારા સાસુની સાથે નોકરી કરતા મધુબેન તેમને મળવા આવ્યા છે. પરંતુ તમારા સાસુ ઘરે નથી અને ઘરનો દરવાજો ખુલ્લો છે. જેથી અશ્વિનાબેને સાસુને ફોન કરતા તેઓ બહાર ગયા હોવાનુ જાણતા તેઓ તાત્કાલિક ઘરે આવ્યા હતા. ત્યારે જોયુ તો ઘરનો બધો સામાન વેરવિખેર હાલતમાં પડયો હતો.

બાદમાં તપાસ કરતા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 1.50 લાખ સહિત કુલ રૂ. 3.43 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે અશ્વિનાબેને અજાણ્યા ચોર સામે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

  • Related Posts

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી