અમરાઈવાડીમાં વકીલના ઘરેથી રૂ. 3.43 લાખની મતાની ચોરી

મહિલા પિયર ગઇ ત્યારે ચોરે ઘરને નિશાન બનાવ્યું

અમરાઈવાડીમાં રહેતા મહિલા વકીલના ઘરનુ તાળુ તોડી તસ્કરો રોકડા રૂ.1.50 લાખ અને સોનાચાંદીના દાગીના મળી કુલ રૂ. 3.43 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા.

અમરાઈવાડીમાં રહેતા અશ્વિનાબેન પરમાર કોર્ટમાં વકીલ તરીકે પ્રેકટીસ કરે છે. તેમના લગ્ન ચાર વર્ષ પહેલા શુભમભાઈ સાથે થયા હતા. છેલ્લા 20 દિવસથી અશ્વિના બેન તેમના પિયરમાં રહેવા માટે ગયા છે. દરમિયાન તેમના પતિ અને સાસુ અમરાઈવાડીના તેમના ગુપ્તા શેઠની ચાલીના મકાનમાં રહેતા હતા. ગત રવિવારે અશ્વિનાબેન પિયરમાં હતા.

ત્યારે પાડોશીનો ફોન આવ્યો અને જણાવ્યુ કે તમારા સાસુની સાથે નોકરી કરતા મધુબેન તેમને મળવા આવ્યા છે. પરંતુ તમારા સાસુ ઘરે નથી અને ઘરનો દરવાજો ખુલ્લો છે. જેથી અશ્વિનાબેને સાસુને ફોન કરતા તેઓ બહાર ગયા હોવાનુ જાણતા તેઓ તાત્કાલિક ઘરે આવ્યા હતા. ત્યારે જોયુ તો ઘરનો બધો સામાન વેરવિખેર હાલતમાં પડયો હતો.

બાદમાં તપાસ કરતા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 1.50 લાખ સહિત કુલ રૂ. 3.43 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે અશ્વિનાબેને અજાણ્યા ચોર સામે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

  • Related Posts

    ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી

    ઈજનેર સસપેન્ડ થયાં હવે સંપત્તિની તપાસ એસીબી દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડ કાર્યપાલક ઇજનેર સહિત અન્ય ઇજનેરોસામે તપાસ માટે એમના ઘર ઓફિસ અને લોકરોની તપાસ માટે…

    તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું

    ઈન્કમટેક્સ રિફંડને નામે સાઈબર ગઠિયા સક્રિય ફરિયાદો આવવાની શરૂ થતાં પોલીસની અપીલ ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. જેનો લાભ લઈને સાઈબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે સક્રિય થયા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી

    તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું

    અમરાઈવાડીમાં બે માસથી પાણીની લાઈનમાં લીકેજ

    ઈસનપુરમાં પેટીએમ સાઉન્ડ અપડેટના નામે ફોનની ચોરી

    નરોડામાંથી દારૂની 840 બોટલ ભરેલી કાર સાથે બે ઝડપાયા

    ઉ.ઝોનમાં ગંદકી બદલ 237 એકમોને નોટિસ