20 દિવસથી લીકેજ લાઈનથી હજારો લીટર પાણીનો વેડફાટ
શહેરના ખોખરા વોર્ડમાં સર્વોદયનગર હાઉસિંગ બોર્ડના ખાતે પાણીની લાઈનમાં છેલ્લા 20 દિવસથી લીકેજ થયું છે. જેના કારણે હજારો લીટર પીવાના પાણીનો વેટફાટ થઈ રહ્યો છે. તેમ છતાં કોઈ કામગીરી કરાતી ન હોવાના લીધે આસપાસના રહીશો હેરાન થઈ રહ્યા છે. આ મામલે વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી કરાતી ન હોવાના કારણે આસપાસના વિસ્તારમાં પીવાના પાણીની અછત સર્જાઈ રહી છે.
આ અંગે સ્થાનિક રામનરેશ કોરીએ કહ્યું હતું છે. છેલ્લા ૩ મહિનામાં બીજીવાર સર્વોદયનગર હાઉસિંગ બોર્ડ ખાતે પાણીની લાઈનમાં ભંગાણ પડયું છે.
દરવખતે 50 ફુટના અંતરે પાણીની લાઈનમાં લીકેજ થતું હોવાનુ જોવા મળે છે, ત્યારે રજૂઆતો બાદ જાગતુ મ્યુનિ તંત્ર માત્ર થીંગડા મારીને જ રવાના થઈ જાય છે. એટલે આ વખતે સર્વોદયનગર હાઉસિંગના બ્લોક નં.167 પાસે પાણીની લાઈનમાં ભંગાણ પડી ગયું હતુ. જેનું સમારકામ કરાયુ ન હોવાના કારણે 20 દિવસથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
છતાં તેમ છતાં પાણીના લીકેજનુ સમારકામ કરવા સહિતની દિશામાં કોઈ કામગીરી કરાતી નથી. જેના કારણે સર્વોદયનગરના 4 બ્લોક સહિત આસપાસના વિસ્તારમાં અપુરતા પ્રેશરથી પાણી આવતા હોવાની ફરિયાદો ઊઠવા પામી છે. એટલે નાગરિકોના હિતમાં મ્યુનિ દ્વારા તાકિદે સમસ્યાના નિવારણ માટે કામગીરી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.






