કૃષ્ણનગરમાં વ્યાજખોરોના ત્રાસથી મહિલાએ આત્મહત્યા કરી લેતાં 3 વ્યાજખોરની ધરપકડ

મૃતકે સ્યુસાઈડ નોટમાં તમામ હકીકત લખી હતી જેના આધારે ગુનો દાખલ કરાયો

કૃષ્ણનગરમાં એક દંપતિ સહિત ત્રણ વ્યાજખોરે મહિલાને માનસિક ત્રાસ આપતા અંતે કંટાળીને મહિલાએ એસિડ ગટગટાવી લેતા તેનુ મોત નિપજયુ હતુ. દરમિયાન મહિલાના ઘરમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેના આધારે મહિલાના પતિએ ત્રણે સામે દુત્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં એક દંપતિ સહીત ત્રણ વ્યાજખોરોની ધરપકડ કરી હતી.

કૃષ્ણનગરમાં શિવ એપાર્ટમેન્ટમાં નિતાબેન મોદી પુત્ર રવિ સાથે રહે છે જયારે તેમના પતિ પ્રકાશભાઈ વીસનગર રહે છે અને ફોટોગ્રાફીનો વ્યવ્સાય કરે છે. ગત તા 27 મીએ પ્રકાશભાઈ પર તેમની સાળીનો ફોન આવ્યો હતો અને જાણ કરી હતી કે નિતાબેને એસીડ પી લીધુ છે. નિતાબેનને ફરજ પરના તબીબે મૃત જાહેર કરી દીધા હતા.

બીજીબાજુ પ્રકાશભાઈએ તેમની પુત્રી ભૂમિકાને પુછતા તેણે કહ્યું હતુ કે મમ્મીએ એસિડ પી લીધા બાદ તેમને હોસ્પિટલ લાવ્યા બાદ ઘરે તાળુ મારવા માટે ગઈ ત્યારે ઘરમાં એક ચોપડો પડયો હતો. જેમાં નિતાબેને લખ્યુ હતુ કે, મારા મરવા પાછળનું કારણે નેહા તથા તેનો ઘરવાળો જયેશ છે. તેમણે મને 50 હજાર આપેલ તે પૈસા ભરી દીધા હોવા છતા બીજા દસ હપ્તા માંગતા હતા. આ લોકો મને ખોટી રીતે તેઓ ટોર્ચર કરી ધમકી આપતા હતા. આ ઉપરાંત જીગર રબારી પાસેથી પણ દસ ટકા વ્યાજે ઉછીના પૈસા લીધા હતા.

તે પૈસા ચુકવી દીધા હોવા છતા તેઓ વધુ પૈસાની માગણી કરી ધમકી આપતા. હતા અને તારા છોકરાને ઉઠાવી જઈશ. તથા તને ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી. ધમકી આપતા હતા. મે હેમરાજ ઝાલાને 45 હજાર રૂપિયા આપ્યા હતા અને રવિના નામે મોબાઇલ ફોન અપાવેલ છે તથા એક હજારની ડાયરી કરાવેલ છે તે તમામ પૈસા લેવાના બાકી છે તે પૈસા માંગવા. જતા હેમરાજે મને મારી નાંખવાની ધમકી. આપી હતી. આ લોકોના ત્રાસથી હું અંતિમ પગલુ ભરી રહી છુ. આ સ્યુસાઈડ નોટ અંગે પ્રકાશભાઈએ કૃષ્ણનગર પોલીસને જાણ કરતા પોલીસે નહાબેન પંડયા અને તેના પતિ જયેશ પંડયા અને હેમરાજસિંહ. ઝાલાની સામે દુઃત્પ્રેરણાનો ગુનો દાખલ કરી ત્રણેની ધરપકડ કરી હતી.

  • Related Posts

    ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી

    ઈજનેર સસપેન્ડ થયાં હવે સંપત્તિની તપાસ એસીબી દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડ કાર્યપાલક ઇજનેર સહિત અન્ય ઇજનેરોસામે તપાસ માટે એમના ઘર ઓફિસ અને લોકરોની તપાસ માટે…

    તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું

    ઈન્કમટેક્સ રિફંડને નામે સાઈબર ગઠિયા સક્રિય ફરિયાદો આવવાની શરૂ થતાં પોલીસની અપીલ ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. જેનો લાભ લઈને સાઈબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે સક્રિય થયા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી

    તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું

    અમરાઈવાડીમાં બે માસથી પાણીની લાઈનમાં લીકેજ

    ઈસનપુરમાં પેટીએમ સાઉન્ડ અપડેટના નામે ફોનની ચોરી

    નરોડામાંથી દારૂની 840 બોટલ ભરેલી કાર સાથે બે ઝડપાયા

    ઉ.ઝોનમાં ગંદકી બદલ 237 એકમોને નોટિસ